Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાય તરીકે ટ્રીટ ન કરાય: કુમાર સંગકારા

ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાય તરીકે ટ્રીટ ન કરાય: કુમાર સંગકારા

17 June, 2020 11:35 AM IST | London
Agencies

ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાય તરીકે ટ્રીટ ન કરાય: કુમાર સંગકારા

કુમાર સંગકારા

કુમાર સંગકારા


શ્રીલંકા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટને પૈસા બનાવવાનું મશીન કે દૂઝણી ગાયની જેમ ટ્રીટ ન કરવી જોઈએ. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ શરૂ કરીને ટેસ્ટ ક્રિકેટને એક નવું રૂપ આપ્યું છે. આ વિશે કુમાર સંગકારાનું કહેવું છે કે ‘જો તમે ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાયની જેમ ટ્રીટ કરશો તો મને નથી લાગતું કે એ તમને કામ લાગશે. નાણાકીય દૃષ્ટિએ એ તમને વધારે કામ નહીં લાગે. ઘણી વાર ટેસ્ટ ક્રિકેટ અમને સ્પોર્ટિંગ સેન્સ નથી આપતી. જો અમેરિકા અથવા બીજે કશે તમે એનું માર્કેટિંગ કરશો તો એ તમને ફાયદાકારક નહીં નીવડે. એના કરતાં જો ટેસ્ટ ક્રિકેટના ફૅન્સને બદલવામાં આવે અને એની પ્રત્યેનો નજરિયો બદલવામાં આવે તો કદાચ એ કારગત નીવડી શકે. દરેક દેશ ઍશિઝ જેવી મોટી સિરીઝ ન યોજી શકે. જો આપણે પ્રતિસ્પર્ધીઓની વાત કરીએ તો અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડ જેવી ટીમનું શું થાય? બંગલા દેશ જેવી ટીમ નાના ફૉર્મેટમાંથી ધીમે-ધીમે ઉપર આવી રહી છે. તો શું આપણે એ ટીમને ભૂલીને આગળ વધવું જોઈએ? મારા ખ્યાલથી જે યોગ્ય છે એ આપણે કરવું જોઈએ અને એમાં રૂપિયાનું રોકાણ કરવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 11:35 AM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK