Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત

ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત

05 January, 2020 04:46 PM IST | Mumbai Desk

ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત

ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત


ભારત-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ પહેલાં વિરાટ કોહલીએ ગઈ કાલે ગુવાહાટીમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ-કૉન્ફરન્સમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ટેસ્ટ મૅચને ચાર દિવસની બનાવવાનો પ્રશ્ન કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના પર તેણે પોતાની અસહમતી દર્શાવી હતી.

આ મુદ્દે વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘મારા મતે આ ફેરફાર ન થવો જોઈએ. મેં કહ્યું હતું એ પ્રમાણે ટેસ્ટ ક્રિકેટનું વધારે વ્યાપારીકરણ કરવા માટે ડે-નાઇટ મૅચ એક સારો વિકલ્પ છે. એ લોકોમાં એક ઉત્સાહ પેદા કરે છે, પણ એને વધારે ટૂંકાવવી મારા મતે યોગ્ય નથી.’
આ ઉપરાંત કોહલીએ એમ કહ્યું હતું કે જો આપણે ટેસ્ટ મૅચમાં એક દિવસ ઘટાડીને એને ચાર દિવસની કરીશું તો પછી લોકો ત્રણ દિવસની ટેસ્ટ મૅચની વાતો કરવા માંડશે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 04:46 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK