Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

14 February, 2019 03:32 PM IST |

વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

ટ્રોફી સાથે બુમરાહ

ટ્રોફી સાથે બુમરાહ


મેલબર્ન ટેસ્ટમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર અને સમગ્ર બૉર્ડર-ગાવસકર સિરીઝમાં હાઇએસ્ટ ૨૧ વિકેટ લેનાર ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહને ઑસ્ટ્રેલિયા સામે ૧૨ જાન્યુઆરીથી શરૂ થતી આગામી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે જેથી વર્લ્ડ કપ પહેલાં તેના પર વધુ વર્કલોડ ન રહે. બુમરાહે ૧૭ની ઍવરેજ, ૪૪.૯૦ની સ્ટ્રાઇક રેટથી ૨૧ વિકેટ ઝડપી હતી. તેનો ઇકૉનૉમી રેટ ફક્ત ૨.૨૭ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થતી પાંચ વન-ડેની સિરીઝમાં તે ફ્રેશ થઈને રમે એમ ભારતીય ક્રિકેટ ર્બોડ ઇચ્છે છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયા થઈ માલામાલ



સિલેક્ટરોએ તેની જગ્યાએ ગયા વર્ષે ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપ્યું છે જેણે ઇન્ડિયા એ વતી ન્યુ ઝીલૅન્ડમાં ૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૭ વિકેટ લીધી છે. સિદ્ધાર્થ કૌલને પણ ટીમમાં જગ્યા મળી છે જેણે ન્યુ ઝીલૅન્ડ એ સામે ત્રણ ટી૨૦ મૅચમાં સારું પર્ફોર્મ કર્યું હતું અને ૩ લિસ્ટ-એ મૅચમાં ૭ વિકેટ લીધી છે. આ સિરીઝમાં તેનું બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ ૪-૩૭ રહ્યું હતું. મોહમ્મદ સિરાજનો બુમરાહના સ્થાને આગામી ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે ૧૨થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન વન-ડે સિરીઝ રમ્યા પછી ભારત ૨૩મીથી ન્યુ ઝીલૅન્ડ સામે ૩ વન-ડે અને ૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચની સિરીઝ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 03:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK