મેન્ટલી વાનખેડેમાં છું અને ફિઝિકલી ઘરમાં : સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ
કોરોના વાઇરસનો કેર ન હોત તો ઇન્ડિયન પ્રીમિયર લીગ ગઈ રવિવારથી શરૂ થઈ ગઈ હોત. આયોજન મુજબ પહેલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હતી. જોકે કોરાના વાઇરસને પગલે આ ટુર્નામેન્ટ ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. મુંબઈ ઇન્ડિયન્સમાંથી રમતો સૂર્યકુમાર યાદવ ૨૧ દિવસના લૉકડાઉનને પગલે હાલમાં ઘરમાં છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તમ પર્ફોર્મન્સ દેખાડતો સૂર્યકુમાર યાદવ મેન્ટલી વાનખેડે સ્ટેડિયમમાં છે. રવિવારે રાતે સૂર્યકુમાર યાદવે બે ફોટો શેર કર્યા હતા. એક ફોટોમાં તે વાનખેડે સ્ટેડિયમમાં છે અને બીજી તસવીરમાં ઘરમાં. આ ફોટો શેર કરીને સૂર્યકુમાર યાદવે ટ્વીટ કર્યું હતું કે ‘મેન્ટલી હું વાનખેડે સ્ટેડિયમમાં છું, પરંતુ ફિઝિકલી ઘરમાં છું. આ સમય પણ પસાર થઈ જશે. ઘરમાં રહો. સેફ રહો.’