યુવરાજને બદલે મેઘરાજ છવાઈ ગયા
વિશાખાપટ્ટનમ: આગાહી અને ડર પ્રમાણે આખરે વરસાદે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પહેલી T20 મૅચ ધોઈ નાખી હતી. ૨૦૧૧ના વર્લ્ડ કપનો સુપરહીરો યુવરાજ સિંહ કૅન્સર સામેની લડાઈ જીત્યા બાદ પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો હોવાથી ચાહકો ભારે ઉત્સાહથી આ મૅચ તરફ મીટ માંડીને બેઠા હતા. હજારો ચાહકો ચૅમ્પિયન યુવીને વધાવવા સ્ટેડિયમમાં અનેક બૅનરો લઈને પહોંચી ગયા હતા, પરંતુ વરસાદે યુવરાજની કમબૅક પાર્ટીમાં મન મૂકીને વરસતાં તમામ લોકોએ નિરાશ થવું પડ્યું હતું અને એક પણ બૉલ ફેંકાયા વિના મૅચ રદ કરવી પડી હતી.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાએ ૧૮ સપ્ટેમ્બરે શ્રીલંકામાં શરૂ થતા T20 વર્લ્ડ કપ પહેલાં પ્રૅક્ટિસનો મોકો ગુમાવ્યો હતો. હવે બીજી અને છેલ્લી T20 મૅચ મંગળવારે ચેન્નઈમાં રમાશે.
મૅચ રદ થયા બાદ યુવરાજ સિંહે આખા મેદાનમાં ફરીને સ્ટેડિયમમાં હાજર તમામ લોકોનો આભાર માન્યો હતો.