કોહલીએ સોશ્યલ મીડિયા પર ચાહકોને આપ્યો પ્રેરણાત્મક સંદેશ
વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે. કોહલી હાલમાં ખૂબ અવેરનેસ ફેલાવી રહ્યો છે. લૉકડાઉન થયું ત્યારથી તે અવેરનેસ આપી રહ્યો છે. તેણે હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મળીને પણ લોકોને મદદ કરી હતી. પોતાનો એક બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કરીને કોહલીએ કૅપ્શન આપી હતી, ‘જો તમે તમારી જાત સાથે સાચા હો તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી.’