Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કન્કશન સબસ્ટિટ્યુટ કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો ગાવસકરને

કન્કશન સબસ્ટિટ્યુટ કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો ગાવસકરને

06 December, 2020 12:13 PM IST | Mumbai

કન્કશન સબસ્ટિટ્યુટ કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો ગાવસકરને

સુનિલ ગાવસકર

સુનિલ ગાવસકર


ભારતના લેજન્ડ ક્રિકેટર સુનિલ ગાવસકર માને છે કે શુક્રવારે રવીન્દ્ર જાડેજાના રિપ્લેશમેન્ટમાં યુઝવેન્દ્ર ચહલને રમાડવામાં કંઈ ખોટું નહોતું, પણ તેને આ કન્કશન સબસ્ટિટ્યુટનો કન્સેપ્ટ યોગ્ય નથી લાગી રહ્યો. ગાવસકરે કહ્યું હતું કે ‘સર્વ પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ મૅચના રેફરી ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ બૂન છે જેણે જાડેજાના રિપ્લેશમેન્ટ તરીકે ચહલની પસંદગી માન્ય રાખી હતી. એક ઑસ્ટ્રેલિયન મૅચ રેફરીએ આ માન્યતા આપી હોવાથી આ અંગે વધુ હોહા કરવાની જરૂરત નથી. જોકે મને આ કન્કશન સબસ્ટિટ્યુટનો કન્સેપ્ટ જ યોગ્ય નથી લાગી રહ્યો. આ તો બાઉન્સર સામે રમવા અસમર્થ બૅટ્સમૅનની ખામીઓ સામે શિરપાવ આપવા જેવું છે. હું કદાચ તમને જૂના વિચારોનો લાગી શકું છું, પણ જો તમે બાઉન્સરને યોગ્ય રીતે રમી ન શકો તો એ તમારા માથામાં વાગશે. આવા સમયે તમે રિપ્લેશમેન્ટ લેવાને લાયક નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2020 12:13 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK