Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જો અમે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાં તો એ બહુ મોટી સિદ્ધિ હશે : હરમનપ્રીત કૌર

જો અમે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાં તો એ બહુ મોટી સિદ્ધિ હશે : હરમનપ્રીત કૌર

18 February, 2020 11:58 AM IST | Sydney

જો અમે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાં તો એ બહુ મોટી સિદ્ધિ હશે : હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર


ઑસ્ટ્રેલિયામાં ૨૧ ફેબ્રુઆરીથી વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને ઇન્ડિયન ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરનું કહેવું છે કે જો ટીમ આ વર્લ્ડ કપ જીતી જશે તો એ ઘણી મોટી સિદ્ધિ કહેવાશે. ૨૦૧૭માં ટી૨૦ વર્લ્ડ કપની ફા‌ઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ મૅચ ૯ રનથી હારી જનાર ટીમ ઇન્ડિયા આ વખતે ફેવરિટ ગણાઈ રહી છે. આ વિશે હરમનપ્રીતે કહ્યું હતું કે ‘અમારી ટીમ દિવસે-દિવસે તૈયાર થઈ રહી છે અને દરેક ટીમ-મેમ્બર પૉઝિટિવ છે. જો અમે આ વર્લ્ડ કપ જીતીશું તો અમારા માટે આ સારી અને મોટી સિદ્ધિ કહેવાશે. ૨૦૧૭માં અમને જે પ્રતિક્રિયા મળી હતી એ આશ્ચર્યજનક હતી. એ વાતનું અમારી ટીમ પર પ્રેશર ન આવે એ માટે અમને એ વાત કહેવામાં નહોતી આવી છતાં અમે અમારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો પ્રયાસ કરીશું. પાછલાં કેટલાંક વર્ષોમાં અમને જે અનુભવ મળ્યા છે એનો અમે લાભ લઈશું.’

વુમન્સ ટી ૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયા પોતાની પહેલી મૅચ ૨૧ ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે રમશે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 11:58 AM IST | Sydney

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK