Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોનાવાયરસને કારણે ટાળવામાં આવ્યો T-20 વર્લ્ડ કપ, IPL માટે રસ્તો સાફ

કોરોનાવાયરસને કારણે ટાળવામાં આવ્યો T-20 વર્લ્ડ કપ, IPL માટે રસ્તો સાફ

20 July, 2020 08:41 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોનાવાયરસને કારણે ટાળવામાં આવ્યો T-20 વર્લ્ડ કપ, IPL માટે રસ્તો સાફ

ટી-20 વર્લ્ડ કપ રદ

ટી-20 વર્લ્ડ કપ રદ


ઑસ્ટ્રેલિયા(Australia)માં થનારા ટી-20 વર્લ્ડ કપ(T-20 World Cup)ને એક વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. આઇસીસીની બૉર્ડ મીટિંગમાં લેવાયો આ નિર્ણય. હવે વર્લ્ડ કપ આતાં વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં થશે. સોમવારે થયેલી આઇસીસી(ICC)ની બૉર્ડ મીટિંગમાં વર્લ્ડ કપ (World Cup)ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, વર્લ્ડ કપ રદ થવાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 13મી સીઝન માટે માર્ગ મોકળો થઈ ગયો છે. બીસીસીઆઇ(BCCI) સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આઇપીએલ(IPL) 13નું આયોજન કરી શકે છે.

છેલ્લા બે મહિનાથી વર્લ્ડ કપ આ વર્ષે નહીં થાય તેવી ચર્ચાઓ થઈ રહી હતી. આ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાના ખેલમંત્રી રિચર્ડ કોલબેકે કહ્યું હતું કે, તેમનો દેશ ટી-20 વિશ્વકપની યજમાની કરી શકે છે પણ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવી એ યોગ્ય નથી. આ માટે આ આયોજનને રદ કરી દેવાયું છે.




વર્લ્ડ કપ રદ થવાને કારણે બીસીસીઆઇ માટે આઇપીએલના આયોજકોનો માર્ગ મોકળો થઈ ગયો છે. બીસીસીઆઇ પહેલી સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આઇપીએલના આયોજનની તૈયારી કરી શકે છે. જો કે, વર્લ્ડ કપ પર ઑફિશિયલ અનાઉન્સમેન્ટ હવે થઈ ગયું છે એટલે આઇપીએલનું નવું શેડ્યૂલ હવે ટૂંક સમયમાં જ જાહેર થઈ શખે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 08:41 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK