હું ફ્લેક્સિબલ છું, કોઈ પણ પોઝિશન પર બૅટિંગ કરવા તૈયાર : શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરનું માનવું છે કે તે ફ્લેક્સિબલ છે અને ટીમમાં કોઈ પણ ક્રમે બૅટિંગ કરવા તૈયાર છે. ટીમ-મૅનેજમેન્ટ ઘણા મહિનાઓથી ચોથા ક્રમ માટે રેગ્યુલર બૅટ્સમૅનની શોધમાં છે. ભારતની કૅરિબિયન ટૂરની ટીમનો મેમ્બર અય્યરની કૉમ્પિટિશન વન-ડે સિરીઝમાં રિષભ પંત અને લોકેશ રાહુલ સાથે છે. અય્યરે મીડિયાને કહ્યું કે ‘આ ટીમ-મૅનેજમેન્ટનો નિર્ણય છે. અમને કંઈ ખબર નથી. હું તેમને જઈને ન કહીં શકું કે મારે ચોથા ક્રમે રમવું છે. એવું ન થઈ શકે. ટીમ-મૅનેજમેન્ટ ડેફિનેટલી નવા પ્લેયરોને આ ક્રમે ટ્રાય કરશે. અત્યારે આ ક્રમે કોઈ ફિક્સ થયું નથી. પર્સનલી, હું ફક્ત ચોથા ક્રમે બૅટિંગ કરવા વિશે નથી વિચારી રહ્યો. હું કોઈ પણ ક્રમે રમવા તૈયાર છું. પ્લેયરે કોઈ પણ સિચુએશનમાં એ તકનો લાભ લેવો જોઈએ. વરસાદને કારણે અમને બહુ ઓછી પ્રૅક્ટિસ કરવાનો મોકો મળે છે છતાં મળેલી તકનો લાભ લેવાનો પ્રયત્ન કરીશ. ટી૨૦માં ભારતે વેસ્ટ ઇન્ડીઝનો વાઇટવૉશ કર્યો હતો અને વન-ડેમાં પણ ભારતનો હાથ ઉપર રહેશે.’
આ પણ વાંચો : કૅપ્ટન વિરાટ કોહલીની સેન્ચુરીથી ભારત ડ્રાઇવિંગ સીટ પર
ADVERTISEMENT
ગઈ કાલે તે પાંચમાં ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો અને ૭૧ રન કર્યા હતા.