ઈજાને કારણે હરમનપ્રીત ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર
હરમનપ્રીત કૌર
પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે ભારતીય મહિલા વન-ડે ટીમની વાઇસ કૅપ્ટન હરમનપ્રીત બહાર થઈ જતાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ભારતને મોટો ફટકો પડ્યો છે. શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી હરમનપ્રીતને ઈજા થવાથી તે વન-ડે સિરીઝમાં નહીં રમી શકે. આ ઈજા થોડા દિવસો પહેલાં તેને પટિયાલામાં હતી ત્યારે થઈ હતી. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ફીલ્ડિંગ સેશનમાં તે ફીટ જણાઈ નહોતી.