કોહલીની ખાસિયત છે કે તે હારથી ડરતો નથી : ગંભીર
ગૌતમ ગંભીર
ઘરઆંગણે સતત ૧૧મી ટેસ્ટ-સિરીઝ જીતીને વર્લ્ડ રેકૉર્ડ સર્જનારી ભારતીય ટીમ પર શુભેચ્છાનો વરસાદ ચારે બાજુથી વરસી રહ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી સંસદસભ્ય બનેલા ગૌતમ ગંભીરે પણ કોહલી અને ટીમનાં વખાણ કર્યાં છે. તેની સાથે ગંભીરે કોહલીના ક્યારેય હાર ન માનવાના સ્પિરિટને તેની ખાસિયત ગણાવી છે.
આ પણ જુઓઃ ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
ADVERTISEMENT
ઉક્ત મામલે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે ‘તમે ડરને મનમાં રાખો તો ક્યારેય જીતી ન શકો. મારા ખ્યાલથી કોહલીની એ જ ખાસિયત છે કે તે હારથી ડરતો નથી. આપણે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, એમ. એસ. ધોનીની વાત કરીએ છીએ, પણ કોહલી એક એવો કૅપ્ટન છે જેણે રિસ્ક લેવાની હિંમત બતાવી અને એના પરિણામે ભારત વિદેશની ધરતી પર જીત મેળવતું થયું. આ પહેલાં કોઈ પણ કૅપ્ટન રિસ્ક લેવા તૈયાર નહોતા થતા. તેઓ હંમેશાં સેફ ગેમ રમવા ધારતા હતા, પણ વિરાટે રિસ્ક લીધું અને આજે આપણી પાસે સારા અને અનુભવી પ્લેયરોનો ખજાનો છે.’