Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર રંજનેનું અવસાન

ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર રંજનેનું અવસાન

23 December, 2011 06:46 AM IST |

ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર રંજનેનું અવસાન

ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર રંજનેનું અવસાન



પુણે: ૧૯૫૮થી ૧૯૬૪ દરમ્યાન ૭ ટેસ્ટમૅચ રમનાર પેસબોલર વસંત રંજનેનું ગઈ કાલે લાંબી માંદગી બાદ પુણેમાં અવસાન થયું હતું. તેઓ ૭૪ વર્ષના હતા. તેમના પુત્ર સુભાષ ફસ્ર્ટ-ક્લાસ મૅચો રમ્યા હતા અને હવે સુભાષનો પુત્ર શુભમ્ મહારાષ્ટ્રની અન્ડર-૧૯ ટીમમાં છે.

વસંત રંજનેએ ૧૯૫૬માં મહારાષ્ટ્ર વતી રણજીમાં સૌરાષ્ટ્ર સામેની મૅચથી ધમાકેદાર ફસ્ર્ટ-ક્લાસ કરીઅર શરૂ કરી હતી. એ મૅચના પ્રથમ દાવમાં તેમણે ૩૫ રનમાં હૅટ-ટ્રિક સહિત ૯ વિકેટ લીધી હતી અને સેકન્ડ ઇનિંગ્સમાં ૩૬ રનમાં ૪ શિકાર કર્યા હતા. તેમને બે વર્ષ પછી ટેસ્ટકારકર્દી શરૂ કરવા મળી હતી જેમાં તેઓ વેસ્ટ ઇન્ડીઝની એક જ વિકેટ લઈ શક્યા હતા. ત્યાર પછી તેમને ત્રણ વર્ષે બીજી ટેસ્ટ રમવા મળી હતી. ઇંગ્લૅન્ડ સામેની એ સિરીઝ પછી કૅરિબિયનો સામેની ટેસ્ટમાં તેમણે ગૅરી સોબર્સ તથા કૅપ્ટન ફ્રૅન્ક વૉરેલની એક-એક વખત અને રોહન કન્હાઈની બે વખત વિકેટ લેવાની સાથે મૅચમાં કુલ ૬ વિકેટ લીધી હતી. એ મૅચમાં મન્સૂર અલી ખાન પટૌડી કૅપ્ટન હતા. રંજનેએ કુલ ૭ ટેસ્ટની ૯ ઇનિંગ્સમાં ૧૯ વિકેટ લીધી હતી. તેમણે બે વખત દાવમાં ચાર-ચાર વિકેટ લીધી હતી. તેમણે ક્રિકેટ-કરીઅર બાદ ભારતીય રેલવેમાં નોકરી કરી હતી અને ૧૯૯૪માં નિવૃત્ત થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2011 06:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK