Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નઈમાં નિધન

ભૂતપૂર્વ ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નઈમાં નિધન

16 August, 2019 09:17 AM IST | ચેન્નઈ

ભૂતપૂર્વ ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નઈમાં નિધન

ભૂતપૂર્વ ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નઈમાં નિધન

ભૂતપૂર્વ ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નઈમાં નિધન


ક્રિકેટમાં વીબીના નામે ઓળખાતા વીબી ચંદ્રશેખરનું ગઈ કાલે હાર્ટ-અટૅકના લીધે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ ૫૭ વર્ષના હતા. ભારત વતી સાત ઇન્ટરનૅશનલ મૅચમાં રમનારા વીબી ૧૯૮૮માં તામિલનાડુની ટીમ વતી રણજી ટ્રોફીમાં છેલ્લી વાર રમ્યા હતા. જોકે ‍પછીથી તેમણે કૉમેન્ટરી અને કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઇન્ડિયન પ્રીમિયર લીગનાં શરૂઆતનાં ત્રણ વર્ષ સુધી તેઓ ચેન્નઈ સુપર કિંગ્સના મૅનેજરપદે કાર્યરત હતા. આ ઉપરાંત તામિલનાડુ પ્રીમિયર લીગમાં વીબી કાંચી વીરન્સ નામની ટીમના માલિક હતા. વીબી સાથે રમી ચૂકેલા ભૂતપૂર્વ કૅપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત સહિત હરભજન સિંહ અને સુરેશ રૈનાએ પણ તેમને સોશ્યલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજ‌લિ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 09:17 AM IST | ચેન્નઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK