બૉલ પર થૂંક લગાડવાના સંદર્ભે જો રૂટે કહ્યું...
જો રૂટ
અનિલ કુંબલેની અધ્યક્ષતામાં આઇસીસીની ક્રિકેટ કમિટીએ બૉલ પર થૂંક લગાવવાના મુદ્દા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી જેના સંદર્ભમાં ઇંગ્લૅન્ડના ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન જો રૂટે કહ્યું છે કે આમ કરવાથી બોલરોની સ્કિલ પર અસર પડશે. જોકે નવા નિયમના અમલ કરવા માટે પ્લેયરોએ નવી સ્કિલ વિકસાવવી પડશે.
જો રૂટે કહ્યું કે ‘તે અમારા પક્ષમાં કામ કરશે અને અમારી સ્કિલ લેવલ વધારશે. સામાન્યપણે તમારી પાસે જે સુવિધા હોય છે એનો તમે ઉપયોગ કરો છો, પણ જ્યારે એ ન હોય ત્યારે તમે ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો છો. બૉય્ઝે કંઈક નવી તરકીબ શોધવી તો પડશે જ, જે તેમના લૉકરમાં નહીં હોય. આ નવી તરકીબ અમારા પ્લેયરો ચાર-પાંચ અઠવાડિયાંમાં ડેવલપ કરી લેશે.’