Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોઈ પણ ટીમમાં સીએસકે જેવું ફૅમિલી વાતાવરણ નથી : બ્રાવો

કોઈ પણ ટીમમાં સીએસકે જેવું ફૅમિલી વાતાવરણ નથી : બ્રાવો

30 April, 2020 12:45 PM IST | New Delhi
Agencies

કોઈ પણ ટીમમાં સીએસકે જેવું ફૅમિલી વાતાવરણ નથી : બ્રાવો

ડ્વેઇન બ્રાવો

ડ્વેઇન બ્રાવો


આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અનેક લોકોની મનપસંદ ટીમ છે. જોકે ડ્વેઇન બ્રાવોનું કહેવું છે કે સીએસકે ટીમમાં જે પારિવારિક માહોલ છે એવો માહોલ અન્ય કોઈ ટીમમાં જોવા નથી મળ્યો. આ વિશે બ્રાવોએ કહ્યું કે ‘સીએસકેમાં જે પણ પ્લેયર જોડાય છે તે આ પ્રમાણેનો જ વિચાર ધરાવે છે. તમે જ્યારે ટીમમાં સામેલ થાઓ છો ત્યારે તમારું પરિવારજનોની માફક સ્વાગત કરવામાં આવે છે. હું અનેક ટીમો માટે રમ્યો છું, પણ આવું પારિવારિક વાતાવરણ ક્યાંય જોવા નથી મળ્યું. પ્લેયર તરીકે તમારા માટે જરૂરી છે કે ટીમ મૅનેજમેન્ટ, ટીમનો માલિક અને કૅપ્ટન તમને સમજે. તમે સારું પર્ફોર્મ ન કરો તો તે લોકો તમને એક તક આપશે, પણ પર્ફોર્મ તો તમારે જ કરવું પડશે. સીએસકેની સારી વાત એ છે કે તે દરેકને પોતાની માફક ગેમ રમવાનો અવકાશ આપે છે. કોઈ પણ ટીમનો પ્લેયર સારું પ્રદર્શન કરે તો તેની ઉજવણી આખી ટીમ સાથે મળીને કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2020 12:45 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK