Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સીમાંથી આરામની જરૂર : સની

ધોનીને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સીમાંથી આરામની જરૂર : સની

28 December, 2012 03:57 AM IST |

ધોનીને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સીમાંથી આરામની જરૂર : સની

ધોનીને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સીમાંથી આરામની જરૂર : સની




નવી દિલ્હી: સચિન તેન્ડુલકરે વન-ડેમાંથી નિવૃત્તિ લીધી એ પહેલાં તેના ફૂટવર્ક વિશે ટીકા કરીને તેને રિટાયરમેન્ટ માટે વિચારતો કરી દેનાર ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે મહેન્દ્ર સિંહ ધોનીની બાબતમાં ક્રિકેટ બોર્ડને સલાહ આપતા વિધાનો કર્યા હતા.

સનીએ એનડીટીવી ચૅનલને કહ્યું હતું કે ‘ધોનીએ ત્રણેય ફૉર્મેટની ટીમની કૅપ્ટન્સીમાંથી બ્રેક લેવાની જરૂર છે. તે આવું કરશે તો પછીથી તેની લીડરશિપમાં ચમત્કારિક સુધારા જોવા મળશે. તેની પાસેથી સુકાન લઈને વિરાટ કોહલીને સોંપી દેવું જોઈએ. નેતૃત્વની બાબતમાં મને વિરાટમાં મન્સૂર અલી ખાન પટૌડી જેવા ગુણો દેખાય છે. ધોનીને હમણા નહીં તો ફેબ્રુઆરીની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પછી કૅપ્ટન્સી છોડી દેવાનું કહી દો. જો તે એવું ન કરે તો તેનું સુકાન લઈને વિરાટને સોંપી દેવામાં કંઈ ખોટું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2012 03:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK