T૨૦ વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવા માટે સિલેક્ટરોને સમય આપ્યો ધોનીએ
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફિનિશર મહેન્દ્ર સિંહ ધોનીએ ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવા સિલેક્ટર્સને સામેથી સમય આપ્યો છે. વર્લ્ડ કપ બાદ ધોનીએ દેશ માટે સેવા આપી હતી અને હવે તે રિટર્ન થવાથી તેના રિટાયરમેન્ટને લઈને સવાલ થઈ રહ્યા છે. સાઉથ આફ્ર્કિા સામેની ટી૨૦ ટીમની જાહેરાતમાં તેના નામનો સમાવેશ કરવામાં નથી આવ્યો. આ વિશે પૂછવામાં આવતાં ટીમના સિલેક્ટરે કહ્યું હતું કે ‘ધોનીએ સામેથી સિલેક્ટરોને ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવાની તક આપી છે. તેના વિકલ્પ તરીકે અમે અન્ય પ્લેયરને તૈયાર કરી શકીએ. ધોનીને અવગણવાનો કોઈ સવાલ નથી, પણ હા, ધોની કરતાં ટીમ મહત્ત્વની છે માટે ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે જ અમને પોતાનો વિકલ્પ શોધવાની સલાહ આપી છે.’
આ પણ વાંચોઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ