Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રામમંદિરના ભૂમિપૂજનને એક મહાન ક્ષણ ગણાવી દાનિશ કનેરિયાએ

રામમંદિરના ભૂમિપૂજનને એક મહાન ક્ષણ ગણાવી દાનિશ કનેરિયાએ

07 August, 2020 12:01 PM IST | Mumbai Desk
Agencies

રામમંદિરના ભૂમિપૂજનને એક મહાન ક્ષણ ગણાવી દાનિશ કનેરિયાએ

દાનિશ કનેરિયા

દાનિશ કનેરિયા


અયોધ્યામાં રામમંદિરનું કરવામાં આવેલું ભૂમિપૂજન એક ઐતિહાસિક પગલું હતું જેને વિશ્વભરના લોકોએ વધાવ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ આ ભૂમિપૂજનને સંતોષની એક મહાન ક્ષણ ગણાવી હતી. પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ રમીને ૨૬૧ વિકેટ લેનાર દાનિશ કનેરિયા પર ભ્રષ્ટાચાર કરવાને લીધે ક્રિકેટ રમવાનો આજીવન પ્રતિબંધ છે. સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને કનેરિયાએ કહ્યું કે ‘ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે, તેમના નામમાં નહીં. અસત્ય પર સત્યના વિજયનું તેઓ પ્રતીક છે. આજે વિશ્વમાં બધે ખુશીનું વાતાવરણ છે. આ સંતોષની એક મહાન ક્ષણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 12:01 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK