Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્યાં ગઈ કેપ્ટન રોહિતની જર્સી, શંકર-ક્યારેક પંડ્યાની જર્સીમાં દેખાયા

ક્યાં ગઈ કેપ્ટન રોહિતની જર્સી, શંકર-ક્યારેક પંડ્યાની જર્સીમાં દેખાયા

11 February, 2019 10:01 AM IST |

ક્યાં ગઈ કેપ્ટન રોહિતની જર્સી, શંકર-ક્યારેક પંડ્યાની જર્સીમાં દેખાયા

ક્યાં ગઈ કેપ્ટન રોહિતની જર્સી, શંકર-ક્યારેક પંડ્યાની જર્સીમાં દેખાયા


ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 ભારત 1-2થી હારી ચૂક્યુ છે. ટી20માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈ સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે બીજી અને ત્રીજી મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેને કારણે પણ કેપ્ટન રોહિત શર્મા ચર્ચામાં છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી અને ત્રીજી મેચ દરમિયાન રોહિત શર્મા અન્ય ખેલાડીની જર્સી પહેરીના મેદાનમાં ઉતર્યા હતા.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝના ત્રીજા મેચમાં પણ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો રોહિત શર્માં ફરી એક વાર કોઈક બીજાની જ જર્સી પહેરેલો દેખાયો. આ પહેલા એટલે કે બીજી મેચમાં પણ કંઈક એવું જ થયું હતું, હવે તો એ પ્રશ્નો સામે આવવા લાગ્યા છે કે આખરે એવું કેમ થાય છે કે રોહિતને બીજાની જર્સી પહેરીને મેદાન પર આવવું પડ્યું.



આ પણ વાંચોઃ NZvIND : નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે 4 વિકેટે ભારતને હરાવી મેચ અને ટી20 શ્રેણી 2-1થી જીતી


સેશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ આ સવાલનો જવાબ પોતપોતાની રીતે આપી રહ્યા છે. કેટલાક કહે છે કે રોહિત રન નથી બનાવી શકતો તેને કારણે તો કેટલાકનું કહેવું છે કે ન્યુઝીલેન્ડમાં સીરીઝ જીતવા માટે રોહિતે આ ઉપાય કર્યો હશે. જો કે મોટા ભાગના લોકોનું કહેવું છે કે કદાચ રોહિતને જર્સી બરાબર નહીં આપી હોય તેથી તેણે આવું કંઈક કર્યું હોય તેના માટે વ્યવસ્થાપક જવાબદાર છે. રોહિત ના ફેન્સ તેની જર્સી શોધી રહ્યા છે જેના કારણે હકીકત સામે આવી શકે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 10:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK