Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ બોર્ડે કરી યુવરાજ સિંહની કમબૅકની અરજી નામંજૂર

ક્રિકેટ બોર્ડે કરી યુવરાજ સિંહની કમબૅકની અરજી નામંજૂર

30 December, 2020 01:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટ બોર્ડે કરી યુવરાજ સિંહની કમબૅકની અરજી નામંજૂર

ક્રિકેટ બોર્ડે કરી યુવરાજ સિંહની કમબૅકની અરજી નામંજૂર


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સ્થાનિક ક્રિકેટમાં કમબૅક કરવા માગતો હતો, પણ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ તેની આ ઇચ્છા પર પાણી ફેરવી દીધું છે. વાસ્તવમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ વતી રમવાની યુવરાજ સિંહની ઇચ્છા હતી, પણ કેટલાક નિયમોને પગલે બીસીસીઆઇએ તેની આ ટુર્નામેન્ટમાં રમવાની વિનંતી ઠુકરાવી દીધી હતી. 

૨૦૧૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી યુવરાજ સિંહે નિવૃત્તિ લઈ લીધી હતી. નિયમ અનુસાર કોઈ પણ પ્લેયર જો વિદેશી લીગમાં રમવાનું શરૂ કરી દે તો તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને સ્થાનિક ક્રિકેટમાં ભાગ ન લઈ શકે. આ જ નિયમને લીધે કલકત્તા નાઇટ રાઇડર્સને પ્રવીણ તાંબેને ડ્રૉપ કરવાનું કહેવામાં આવ્યું હતું.



ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ યુવરાજ સિંહે વિવિધ ટી૨૦ લીગમાં ભાગ લીધો હતો. તે ગ્લોબલ ટી૨૦ કૅનેડા અને ટી૧૦ લીગમાં પણ રમી ચૂક્યો છે અને આગામી અબુ ધાબી ટી૧૦ લીગમાં પણ રમવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK