Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ બોર્ડની નાગરિકોને સલાહ, પુજારા ફૅમિલીની જેમ ઘરે રહો

ક્રિકેટ બોર્ડની નાગરિકોને સલાહ, પુજારા ફૅમિલીની જેમ ઘરે રહો

30 March, 2020 03:10 PM IST | Mumbai Desk
IANS

ક્રિકેટ બોર્ડની નાગરિકોને સલાહ, પુજારા ફૅમિલીની જેમ ઘરે રહો

ક્રિકેટ બોર્ડની નાગરિકોને સલાહ, પુજારા ફૅમિલીની જેમ ઘરે રહો


કોરોનાના કેરને લીધે દરેક વ્યક્તિ આજે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ચેતેશ્વર પુજારાના પરિવારની કેટલીક તસવીર અપલોડ કરી નાગરિકોને ઘરે રહેવાની અપીલ કરી છે.

પુજારા ફૅમિલીનો ફોટો અપલોડ કરી બીસીસીઆઇએ કહ્યું કે ‘પુજારા ફૅમિલી ઘરનાં કેટલાંક કામ અને મસ્તી કરી પોતાનો સમય ભેગા મળીને પસાર કરી રહી છે. પુજારા ફૅમિલીની જેમ તમારા અંગત અને પ્રેમાળ લોકો સાથે ઘરે રહો.’



આ પહેલાં ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ‘મારા માટે આ ફેરફાર નવો છે. એકલો હોઉં ત્યારે પુસ્તક વાંચીને કે ટીવી જોઈને હું મારો સમય વિતાવું છું અને મારી નાની દીકરી ઘણી એનર્જેટિક છે અને તે આખો દિવસ રમતી હોય છે એટલે તેને સંભાળવામાં મારો અડધો દિવસ વીતી જાય છે. મારી પત્ની પૂજાને પણ હું ઘરકામમાં મદદ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 03:10 PM IST | Mumbai Desk | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK