શ્રીલંકા ક્રિકેટ બોર્ડની બીસીસીઆઇને ટૂર રદ ન કરવાની અરજી
બીસીસીઆઈ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને અરજી કરી છે કે તેમની વચ્ચેની ટૂર જુલાઈમાં થવાની હતી એને રદ કરવામાં ન આવે અને એ યોજવા માટે કોઈ વિકલ્પ શોધવામાં આવે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને ઈ-મેઇલ દ્વારા આ અરજી કરી છે. જુલાઈના મધ્યમાં વિરાટ કોહલી ઍન્ડ ટીમ શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમવા જવાની હતી. પણ કોરોનાને કારણે આ સિરીઝ યોજવી શક્ય લાગતી નથી. ભારત પહેલાં ઇંગ્લૅન્ડે પણ માર્ચ મહિનામાં યાજાનારી શ્રીલંકા ટૂર કૅન્સલ કરવી પડી હતી.