પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અથવા પાકિસ્તાન પ્લેયર્સ માટે વિવાદ કોઈ નવી વાત નથી. મેદાન પરના પર્ફોર્મન્સ કરતાં મેદાન બહારના વિવાદને લીધે તેઓ વધારે ચર્ચામાં રહે છે. ટેસ્ટ ટીમનો કૅપ્ટન અઝહર અલી અને કોચ મિસ્બાહ-ઉલ-હક પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજકાલ ભારે નારાજ છે. આ નારાજગી ઇંગ્લૅન્ડ સિરીઝમાં મળેલા પરાજય બદલ નહીં, પણ દેશના વડા પ્રધાન ઇમરાન ખાનને મળવા બદલ છે. ઇમરાન ખાન ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં અહઝર અને મિસ્બાહ વડા પ્રધાન ઇમરાન ખાનને મળવા ગયા હતા. તેમની સાથે સિનિયર ખેલાડી મોહમ્મદ હાફિઝ પણ ગયો હતો. તેઓ દેશમાં ક્રિકેટના વિકાસ માટે ચર્ચા કરવા ગયા હતા. પાકિસ્તાન ક્રિકેડ બોર્ડને આની જાણ થતાં એ નારાજ થયું હતું અને પરમિશન વગર તેઓ વડા પ્રધાનને મળવા શા માટે ગયા હતા એ માટે તેમને ‘કારણ બતાવો નોટિસ’ મોકલી હતી. ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેમણે ક્રિકેટને લગતી કોઈ બાબતે દેશના વડા પ્રધાન સાથે ચર્ચા કરવી હતી એ બાબત પહેલાં અમને જણાવવી જોઈતી હતી.
૫૧ કરોડ ચૂકવીને પાકિસ્તાને છોડાવ્યું મલેશિયાએ તાબામાં રાખેલું વિમાન
24th January, 2021 13:13 ISTપાકિસ્તાન સામેની 3 મૅચોની T૨૦ સિરીઝમાં SAનું સુકાનપદ સંભાળશે ક્લાસેન
21st January, 2021 16:53 ISTપાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી
20th January, 2021 14:23 ISTમિસબાહ ઍન્ડ કંપની હટે એટલે હું પાકિસ્તાન માટે રમવા તૈયાર: આમિર
19th January, 2021 12:05 IST