Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચોથી ટેસ્ટનું સ્થળ બદલવાની ભારતે કોઈ માગણી કરી જ નથી

ચોથી ટેસ્ટનું સ્થળ બદલવાની ભારતે કોઈ માગણી કરી જ નથી

05 January, 2021 03:43 PM IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી ટેસ્ટનું સ્થળ બદલવાની ભારતે કોઈ માગણી કરી જ નથી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ચર્ચા હતી કે બ્રિસ્બેનમાં ક્વૉરન્ટીનના કપરા નિયમોને લીધે ટીમ ઇન્ડિયા ત્યાં છેલ્લી મૅચ નથી રમવા માગતીક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નીક હોકલીએ ગઈ કાલે એ રિપોર્ટને નકાર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમ કપરા ક્વૉરન્ટીન નિયમોને લીધે બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ મૅચ રમવા નથી માગતી. હોકલી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) તેમને દરેક વાતમાં સપોર્ટ કરી રહી હોવાનું સ્વીકાર્યું હતું.

આ વિશષ હોકલીએ કહ્યું કે ‘અમે દરરોજ બીસીસીઆઇ સાથે સંપર્કમાં છીએ. અમને સત્તાવાર રીતે બીસીસીઆઇ પાસેથી કંઈ એવી વાત કરવામાં નથી આવી, પણ તેઓ ઘણા સપોર્ટિવ છે. અમે નક્કી કરેલા શેડ્યુલ મુજબ બન્ને ટીમના પ્લેયર્સ રમવા માગે છે.’



તાજેતરમાં ઑસ્ટ્રેલિયન મીડિયાએ એવો દાવો કર્યો હતો કે બ્રિસ્બેનમાં ક્વૉરન્ટીનના કપરા નિયમ હોવાને લીધે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ મૅચ માટે ત્યાં જવા નથી માગતી અને ચોથી ટેસ્ટ મૅચ સિડનીમાં જ યોજાય એવી ઇન્ડિયન ટીમની ઇચ્છા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 03:43 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK