સેમી ફાઇનલમાં માહી આઉટ થતાં મેં પરાણે આંસુને રોકી રાખ્યાં હતાંઃ ચહલ
યુઝવેન્દ્ર ચહલ
વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત માટે સૌથી દુખદ ઘટના હોય તો એ સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૮ રનથી મળેલી હાર છે. ત્યાર બાદ ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મૅચમાં જ્યારે મૅચ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોનીનું બૅટ શાંત થયું ત્યારે અનેક ચાહકોનાં દિલ તૂટી ગયાં હતાં.
આ મૅચ વિશે વાત કરતાં યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે ‘માહીભાઈ જ્યારે આઉટ થયા ત્યારે મે મહામુસીબતે મારાં આંસુ રોકી રાખ્યાં હતાં. તેમના આઉટ થયા બાદ મારે મેદાનમાં જવાનું હતું. અમે ૯માંથી ૭ મૅચ જીત્યા હતા, પણ કદાચ સેમી ફાઇનલનો એ દિવસ એવો હતો જ્યારે અમે વહેલી તકે હોટેલમાં જવા માગતા હતા. મારા માટે એ મારો પહેલો વર્લ્ડ કપ હતો. હું કદાચ હવે ૫-૬ વર્ષ રમીશ એટલે મારી ઇચ્છા છે કે ભારત માટે એક વર્લ્ડ કપ જીતું.’
ADVERTISEMENT
આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..
હાલની ઇન્ડિયન ટીમ વિશે વાત કરતાં ચહલે કહ્યું કે ‘જે પ્રમાણે ટીમ ઇન્ડિયા હમણાં પર્ફોર્મ કરી રહી છે એ ખરેખર પ્રશંનીય છે. અમે ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે જીત્યા છે. ટીમમાં રહેવા માટે અમારે સતત સારું પર્ફોર્મ કરતા રહેવું જરૂરી છે.’