Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન ટીમે ડ્રૉપ કરેલા કૅચ સંદર્ભે અસિસ્ટન્ટ કોચની સ્પષ્ટ વાત

ઑસ્ટ્રેલિયન ટીમે ડ્રૉપ કરેલા કૅચ સંદર્ભે અસિસ્ટન્ટ કોચની સ્પષ્ટ વાત

01 January, 2021 12:24 PM IST | Melbourne
Agency

ઑસ્ટ્રેલિયન ટીમે ડ્રૉપ કરેલા કૅચ સંદર્ભે અસિસ્ટન્ટ કોચની સ્પષ્ટ વાત

ઍન્ડ્રુ મક્‍ડોનાલ્ડ

ઍન્ડ્રુ મક્‍ડોનાલ્ડ


ભારત સામેની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાની નબળી ફીલ્ડિંગને લીધે શુભમન ગિલ, રિષભ પંત અને કૅપ્ટન અજિંક્ય રહાણેને જીવનદાન મળ્યાં હતાં. સ્વાભાવિક છે કે ટીમ ઑસ્ટ્રેલિયા પોતાના એ નબળા પ્રદર્શનથી ખુશ નહીં હોય. ઑસ્ટ્રેલિયાના અસિસ્ટન્ટ હેડ કોચ ઍન્ડ્રુ મક્‍ડોનાલ્ડનું કહેવું છે કે કૅચ છોડવાના સંદર્ભે પ્લેયરોનો બચાવ કરવા કોઈ પણ બહાનું ચાલે એમ નથી.

ઍન્ડ્રુ મૅક્‍ડોનાલ્ડનું કહેવું છે કે ‘ફીલ્ડિંગમાંની ખામીઓ વિશે કંઈ સ્પષ્ટતા કરી શકાય એમ નથી. પિન્ક બૉલ ટેસ્ટમાં ભારતને પણ આવી સમસ્યા નડી હતી. કેટલાક કૅચ છૂટ્યા હતા. ખબર નહીં પ્લેયરોના મગજમાં એ વખતે શું ચાલી રહ્યું હતું. અમારી તૈયારી સારી થઈ હતી અને એકાગ્રતાની પણ કોઈ કમી નહોતી. ઘણા બધા ક્રિકેટરો શીલ્ડ ક્રિકેટ અને એ મૅચ રમ્યા છે માટે અહીં કોઈ બહાનું ચાલે એમ નથી. એ સમયે બરાબર અમલ કરી બતાવવો જરૂરી હતો. ત્રીજી ટેસ્ટ મૅચ માટેની અમારી તૈયારી સારી છે અને ફીલ્ડિંગની તૈયારી પણ સારી ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 12:24 PM IST | Melbourne | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK