Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિહારી કહે છે, અશ્વિનના માર્ગદર્શનને લીધે અમે મૅચ ડ્રૉ કરાવી શક્યા

વિહારી કહે છે, અશ્વિનના માર્ગદર્શનને લીધે અમે મૅચ ડ્રૉ કરાવી શક્યા

14 January, 2021 12:15 PM IST | Brisbane
Agencies

વિહારી કહે છે, અશ્વિનના માર્ગદર્શનને લીધે અમે મૅચ ડ્રૉ કરાવી શક્યા

અશ્વિને ૧૨૮ બૉલમાં ૩૯ અને વિહારીએ ૧૬૧ બૉલમાં ૨૩ રન બનાવીને કાંગારૂઓને પરેશાન કરી દીધા હતા

અશ્વિને ૧૨૮ બૉલમાં ૩૯ અને વિહારીએ ૧૬૧ બૉલમાં ૨૩ રન બનાવીને કાંગારૂઓને પરેશાન કરી દીધા હતા


સિડનીમાં ભારત માટે હનુમા વિહારી અને રવીચન્દ્રન અશ્વિનની જોડી સંકટમોચન બનીને આવી હતી અને ટીમને હારમાંથી ઉગારીને જીત સમાન ડ્રૉ કરાવવામાં મુખ્ય રોલ ભજવ્યો હતો. બન્ને ઇન્જર્ડ હોવા છતાં કમાલની લડત આપી હતી. વિહારી હવે ઇન્જરીને લીધે આવતી કાલે નથી રમવાનો. વિહારીએ આ યાદગાર લડત માટે અશ્વિનને શ્રેય આપ્યો હતો.
વિહારીએ કહ્યું હતું કે ‘પાંચમા દિવસે આખરી સેશનમાં બૅટિંગ કરવાનો અનુભવ ખૂબ શાનદાર રહ્યો. આ કંઈક એવું હતું કે જે આપણે સપનામાં જોતા હોઈએ છીએ. હું ખૂબ ખુશ છું. આ સંકટના સમયે અશ્વિને મને મોટા ભાઈની જેમ માર્ગદર્શન આપ્યું હતું. બૅટિંગ વખતે હું ઘણું બધુ વિચારી રહ્યો હતો ત્યારે મને તેણે કહ્યું હતું અત્યારે તું ફક્ત બૉલ પર જ ધ્યાન દે.’
અશ્વિને ૧૨૮ બૉલમાં ૩૯ અને વિહારીએ ૧૬૧ બૉલમાં ૨૩ રન બનાવીને કાંગારૂઓને પરેશાન કરી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 12:15 PM IST | Brisbane | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK