આઇસીએના પ્રેસિડન્ટની દોડમાં અશોક મલ્હોત્રાનું નામ આગળ
અશોક મલ્હોત્રા
ભારતીય ક્રિકેટરો માટે સ્થાપવામાં આવેલા ઇન્ડિયન ક્રિકેટ અસોસિએશન (આઇસીએ)નાં વિવિધ પદ માટે ચાલુ મહિનામાં ચૂંટણીઓ થવાની છે. આ નવા અસોસિએશનના પ્રેસિડન્ટ પદે ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અશોક મલ્હોત્રાનું નામ મોખરે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના ઇલેક્ટ્રોલ બોર્ડે આ નવા અસોસિએશન માટેના પ્લેયરોની યાદી પણ બહાર પાડી છે.
આશુ દાની, સિદ્ધાર્થ સાહિબ સિંહ અને હિતેશ મઝુમદાર સેક્રેટરીની પોસ્ટ માટે જ્યારે કિશોર શર્મા અને વી. ક્રિષ્નાસ્વામી ટ્રેઝરરની પોસ્ટ માટે ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં પ્લેયરોના રિપ્રેઝન્ટેટિવની પદવી માટે કીર્તિ આઝાદ અને અંશુમાન ગાયકવાડ ઊભા છે, જ્યારે આઇપીએલ ગવર્નિંગ બોડી માટે એકમાત્ર સુરેન્દ્ર ખન્નાએ નામાંકન ભર્યું છે.