ધોની પ્રોપર સૅન્ડ-ઑફનો હકદાર છે : અનિલ કુંબલે
અનિલ કુંબલે અને ધોની
ટેસ્ટની એક ઇનિંગમાં તમામ ૧૦ વિકેટ લેવાની વિરલ સિદ્ધિ મેળવનાર અનિલ કુંબલેનું માનવું છે કે સિલેક્ટરોએ ધોનીના યોગદાનને ધ્યાનમાં રાખીને તેની સાથે વાતચીત કરીને તેને ફેરવેલ મૅચ રમવાનો મોકો આપવો જોઈએ. તે ફેરવેલ મૅચનો હકદાર છે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન કુંબલેએ કહ્યું કે ‘હું શ્યૉર નથી, પણ મારા મતે રિષભ પંતે વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે જોરદાર દાવેદારી નોંધાવી છે. ખાસ કરીને ટી૨૦ ફૉર્મેટમાં. સિલેક્ટરોએ ધોની સાથે વાતચીત કરીને તેને ફેરવેલ મૅચ રમવાનો મોકો આપવો જોઈએ. તે એનો ચોક્કસ હકદાર છે. પંતના પર્ફોર્મન્સમાં ક્યારેક નિરંતરતા જોવા મળતી નથી. જોકે આ નિર્ણય સિલેક્ટરોએ લેવાનો છે. જો ધોની ટી૨૦ વર્લ્ડ કપ ટીમના પ્લાનમાં સામેલ હોય તો તેને દરેક ગેમમાં રમાડવો જોઈએ.’
ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....
ADVERTISEMENT
૬૧૯ ટેસ્ટ-વિકેટ લેનાર કુંબલેએ ટેસ્ટમાં ઓપનિંગ સ્લૉટ વિશે કહ્યું હતું કે ‘જો જરૂર પડે તો જ રોહિત શર્માને ઓપનિંગમાં મોકલવો જોઈએ. ડોમેસ્ટિક ક્રિકેટના સારા ઓપનરને પણ ચાન્સ આપી શકાય.’