Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાયુડુનો યુ-ટર્ન, દરેક ફૉર્મેટમાં રમવા HCAને લખ્યો પત્ર

રાયુડુનો યુ-ટર્ન, દરેક ફૉર્મેટમાં રમવા HCAને લખ્યો પત્ર

31 August, 2019 08:38 AM IST | હૈદરાબાદ

રાયુડુનો યુ-ટર્ન, દરેક ફૉર્મેટમાં રમવા HCAને લખ્યો પત્ર

અંબાતી રાયુડુ

અંબાતી રાયુડુ


વર્લ્ડ કપ ૨૦૧૯માં ટોચનો ઇન્ડિયન પ્લેયર ઈજાગ્રસ્ત થતાં ટીમમાં સ્થાન ન મળતાં ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અંબાતી રાયુડુએ હવે યુ-ટર્ન લીધો છે. તેણે હૈદારાબાદ ક્રિકેટ અસોસિએશનને પત્ર લખીને ફરી એક વાર દરેક ફૉર્મેટ રમવા દેવા માટે અરજી કરી છે. અંબાતીએ લખેલા પત્રમાં ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર વીવીએસ લક્ષ્મણ અને નોઇલ ડેવિડનો આભાર માનતાં લખ્યું છે કે ‘હું અંબાતી રાયુડુ, તમને જણાવવા માગું છું કે હું મારા રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેચવા માગું છું અને ક્રિકેટના દરેક ફૉર્મેટમાં રમવા માગું છું. ચેન્નઈ સુપર કિંગ્સના વીવીએસ લક્ષ્મણ અને નોઇલ ડેવિડનો હું આભાર માનું છું કે તેમણે મારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો અને મારામાં ક્રિકેટ રમવાની રહેલી ક્ષમતા સાથે મને પરિચિત કરાવ્યો. ઇમોશનલ કારણસર લીધેલા મારા નિર્ણયને હું પાછો ખેંચવા માગું છું.’

આ પણ વાંચોઃ ઇન્ડિયા ‘એ’ અને U19ને કોચ નહીં કરે રાહુલ દ્રવિડ



ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે જણાવ્યા પ્રમાણે ટીમ ચૅમ્પિયન ટ્રોફી પછી કાર્તિક સહિત અન્ય કેટલાક પ્લેયરોને ટ્રાય કરી ચૂકી છે. જો રાયુડુ ટીમમાં પાછો આવે તો તેને ચોથા નંબર પર રમવા માટે ઉતારી શકાય. વિજય શંકર બૅટિંગ કરતાં બોલિંગમાં સારું પ્રદર્શન કરે છે માટે ત્યાં પણ શંકરને તક આપી શકાય છે.


રાયુડુ ટીમ ઇન્ડિયા વતી કુલ ૫૫ વન-ડે મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે ૧૬૯૪ રન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 08:38 AM IST | હૈદરાબાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK