Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રંગભેદના વિવાદ પર રહાણેની ચોખવટ આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક

રંગભેદના વિવાદ પર રહાણેની ચોખવટ આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક

12 January, 2021 07:48 AM IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રંગભેદના વિવાદ પર રહાણેની ચોખવટ આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક

ટિમ પેઇન

ટિમ પેઇન


ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ ભલે ડ્રૉ થઈ હોય, પણ આ મૅચ દરમ્યાન ગાજેલો રંગભેદનો મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. મૅચ પત્યા બાદ ઇન્ડિયન કૅપ્ટન અજિંક્ય રહાણેએ ચોખવટ કરી હતી કે આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક છે. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને પણ આ વાતમાં ટીમ ઇન્ડિયાને ટેકો આપ્યો હતો.

મૅચ પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં રંગભેદના મુદ્દે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું કે ‘અમે ફરિયાદ નોંધાવી છે અને મેં મૅચ-રેફરી તથા અમ્પાયરને પણ આ ઘટનાની જાણ કરી છે. જે થયું એ અસ્વીકાર્ય છે અને અમે એનાથી ઘણા નિરાશ છીએ.’



સામા પક્ષે ટિમ પેઇને અજિંક્ય રહાણેના સૂરમાં સૂર પુરાવતાં ટીમ ઇન્ડિયાને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે ‘મારા ખ્યાલથી આ ઘણું નિરાશાજનક છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ઑસ્ટ્રેલિયન ટીમ કોઈ પણ પ્રકારની રંગભેદની ઘટનાને ટેકો નથી આપતી. હું માત્ર એટલું સુનિશ્ચિત કરવા માગું છું કે આ બાબતમાં અમે ઇન્ડિયન ટીમના પડખે છીએ. જે પ્રમાણે મેં કહ્યું કે અમારામાંનું કોઈ પણ દોષીઓને માફ નહીં કરે, કેમ કે જ્યારે મહેમાન ટીમ ઑસ્ટ્રેલિયા આવી ત્યારે આ ઘટના બની જે ઘણી નિરાશાજનક કહેવાય અને અમે ઇચ્છીએ છીએ કે આવું અટકે. ભારતીય પ્લેયરો નિશ્ચિંત રહે, કેમ કે અમે તેમની સાથે છીએ અને તેમને આ બાબતે ટેકો આપીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2021 07:48 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK