નિયમ ૧૧ દેશોના તમામ પ્રવાસીઓ જેમાં ખેલાડી, કોચ અને સપોર્ટ સ્ટાફ સામેલ છે એના પર લગાવવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
જપાન સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે એની રાજધાની ટોક્યોમાં આ વર્ષે યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ માટે આવનાર ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ એક સપ્તાહ પહેલાં દરરોજ કોવિડ-ટેસ્ટ કરાવવી પડશે અને ટોક્યો પહોંચ્યા બાદ ત્રણ દિવસ સુધી બાકી દેશોના લોકો સાથે મળી નહીં શકે. આ પ્રકારના સખત નિયમ પર ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ)એ નારાજગી વ્યકત કરી હતી તેમ જ એક પત્ર પણ લખ્યો હતો. એની સ્પષ્ટતા કરતાં આયોજકોએ કહ્યું હતું કે સ્પોર્ટ્સ વિલેજમાં ભારતીય ખેલાડીઓના સુરક્ષિત પ્રવાસ અને કોઈ પણ પ્રકારની ખલેલ વગર પ્રૅક્ટિસ કરે એ માટે કાર્યરત છે.
આ નિયમ ૧૧ દેશોના તમામ પ્રવાસીઓ જેમાં ખેલાડી, કોચ અને સપોર્ટ સ્ટાફ સામેલ છે એના પર લગાવવામાં આવ્યો છે. જ્યાં કોરોનાના અલગ-અલગ વેરિઅન્ટ મળ્યાં છે, જેમાં ભારતનો પણ સમાવેશ છે. આઇઓએ દ્વારા આ નિયમની ટીકા કરવામાં આવી હતી તેમ જ આને ભેદભાવભર્યો ગણાવ્યો હતો અને આયોજન સમિતિને પત્ર લખ્યો હતો, જેમાં કોરોના રોકવાની વ્યવસ્થામાં ખેલાડીઓના પ્રદર્શન પર કોઈ ખરાબ અસર ન પડે. આઇઓએ લખેલા પત્રનો આવો જવાબ મળ્યો છે. ટોક્યોમાં આ વર્ષે ૨૩ જુલાઈથી આઠ ઑગસ્ટ વચ્ચે ઑલિમ્પિક્સ ગેમ્સનું આયોજન થવાનું છે.
ADVERTISEMENT
ટોક્યોની આયોજન સમિતિએ કહ્યું હતું કે અન્ય ૧૦ દેશોના ઍથ્લિટ તમામ ૧૯૫ દેશોની સાથે જ એનઓસી મેળવીને સ્પોર્ટ્સ વિલેજમાં સુરક્ષિત રીતે રહીને ટ્રેઇનિંગ લઈ શકશે. આ મામલે તમારી સાથે ચર્ચા પણ કરીશું.’