ફ્લૉઇડના નિધન પર સેરેનાએ કરી સમાનતાની વાત
સેરેના વિલિયમ્સ
જ્યૉર્જ ફ્લૉઇડના નિધન પર ટેનિસસ્ટાર પ્લેયર સેરેના વિલિયમ્સે પોતાનો મત મૂકીને સમાનતાની વાત કરી છે. રંગભેદને લીધે ફ્લૉઇડનું મોત થયું હોવાની વાત થઇ રહી છે જેને લીધે અમેરિકાના લોકોમાં આક્રોશ છે. આ સાથે જ દુનિયાભરના લોકો જાતિવાદ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. સેરેનાએ કહ્યું કે ‘હું જે દિવસે મારા જેવા દેખાતા લોકો માટે સમાનતાની વાત કરવાનું બંધ કરીશ ત્યારે હું કદાચ મારી કબરમાં હોઈશ.’
વાસ્તવમાં ૨૦૧૯માં સેરેનાને ટેનિસ લેજન્ડ બિલી જિન કિંગે કહ્યું હતું કે સેરેનાએ પોતાની ટેનિસ પર ધ્યાન આપવું જોઈએ અને સમાનતા માટે સેલિબ્રિટી બનીને વચ્ચે ન કૂદવું જોઈએ. જોકે સેરેના ઘણા સમયથી આ જાતિવાદ સામે લડતી આવી છે અને તેણે કહ્યું હતું કે હું મારા મૃત્યુ સુધી એની સામે લડતી રહીશ.