Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ માટે આવતા વર્ષે રમશે જોફ્રા આર્ચર?

મુંબઈ માટે આવતા વર્ષે રમશે જોફ્રા આર્ચર?

21 May, 2022 02:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનને લઈને મુંબઈના કોચ માહેલા જયવર્દનેએ કર્યો ખુલાસો

જોફ્રા આર્ચર

જોફ્રા આર્ચર



આઇપીએલના પ્લે-ઑફની રેસમાંથી બહુ જલદી આઉટ થઈ જનાર મુંબઈની ટીમના કોચ માહેલા જયવર્દનેએ કહ્યું કે રસાકસીભરી મૅચમાં મહત્ત્વની ક્ષણોમાં કરેલા ખરાબ પ્રદર્શનને કારણે અમે નિષ્ફળ રહ્યા છીએ. પૉઇન્ટ 
ટેબલમાં સૌથી નીચેના ક્રમાંકે રહેલી મુંબઈની ટીમ આજે છેલ્લી મૅચ રમશે. જયવરર્દનેએ વધુમાં કહ્યું કે ‘ટુર્નામેન્ટની શરૂઆતના તબક્કામાં દબાણની સ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા. કોઈ પણ સીઝનની શરૂઆત ધીમી થાય છે તો એ ચિંતાની વાત છે.’ 
મુંબઈની ટીમે ઇંગ્લૅન્ડના જોફ્રા આર્ચરને મોટી રકમ આપીને ખરીદ્યો હતો અને ત્યારે તેમને ખબર હતી કે તે આ સીઝનમાં નહીં રમી શકે. તો કોચને આશા હતી કે તે આગામી સીઝનમાં રમશે. તેણે વધુમાં કહ્યું કે ‘સાચું કહું તો આ બહુ દૂરની વાત છે. નિષ્ણાતોની ટીમ એના પર નજર રાખી રહી છે. ભૂતકાળમાં તેને આવી ઈજા થઈ નથી. આ કંઈક નવું છે. આગામી આઇપીએલમાં હજી ૧૦ મહિનાની વાર છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK