Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પૈસો બોલે છે, ભારતની ટૂર કોઈ કૅન્સલ નથી કરતું : ખ્વાજા

પૈસો બોલે છે, ભારતની ટૂર કોઈ કૅન્સલ નથી કરતું : ખ્વાજા

25 September, 2021 09:42 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખ્વાજાએ કહ્યું કે મને લાગે છે કે ખેલાડીઓને અને સંસ્થાઓને પાકિસ્તાનને ના પાડવી આસાન છે, કેમ કે એ પાકિસ્તાન છે

ઉસ્માન ખ્વાજા

ઉસ્માન ખ્વાજા


પાકિસ્તાન મૂળનો ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની પાકિસ્તાનની ટૂર રદ થતાં નારાજ છે અને કહે છે પૈસાના પાવરને લીધે કોઈ ભારતની ટૂર કૅન્સલ નથી કરતું. ખ્વાજાનો જન્મ પાકિસ્તાનનાં થયો હતો પણ એ પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર સિડની શિફ્ટ થયો હતો. ખ્વાજાએ કહ્યું કે મને લાગે છે કે ખેલાડીઓને અને સંસ્થાઓને પાકિસ્તાનને ના પાડવી આસાન છે, કેમ કે એ પાકિસ્તાન છે. એવું બંગલા દેશ સાથે પણ થઈ રહ્યું છે. પણ જો આવી જ સ્થિતિ નિર્માણ થાય તો ભારતને કોઈ ક્યારેય ના પાડવાની હિંમત નથી કરતું. પૈસો બોલે છે. આપણે બધા આ જાણીએ છીએ. પાકિસ્તાન વારંવાર સાબિત કરી રહ્યું છે કે ત્યાં બધું સલામત છે, પણ કોઈ સાંભળતું નથી.’ ખ્વાજાએ છેલ્લે કહ્યું જો ઑસ્ટ્રેલિયન ટીમ આવતા વર્ષે શેડ્યુલ પ્રમાણે પાકિસ્તાનની ટૂર કરશે તો એ એમાં હોંશેહોંશે સામેલ થશે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 09:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK