ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.
ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી
શ્રીલંકાથી ભારતની મર્યાદિત ઓવર્સવાળી ટીમ ગઈ કાલે બૅન્ગલોર પાછી ફરી હતી. જોકે ત્રણ પ્લેયરો કે. ગૌતમ, યુઝવેન્દ્ર ચહલ અને કૃણાલ પંડ્યાને કોવિડ પૉઝિટિવના રિપોર્ટને લીધે શ્રીલંકામાં રહેવું પડ્યું છે.
ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.
દ્રવિડના કોચિંગવાળી ભારતીય ટીમ શ્રીલંકામાં વન-ડે સિરીઝ ૨-૧થી જીતી, પણ ટી૨૦ મુકાબલો ૧-૨થી હારી ગઈ હતી.
દરમ્યાન પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ બ્રિટન જઈ રહ્યા છે જ્યાં તેઓ ટેસ્ટ ટીમ સાથે જોડાશે. તેઓ ઈજાગ્રસ્તો અવેશ ખાન અને વૉશિંગ્ટન સુંદરનું સ્થાન લેશે.