અમિત શાહે કર્યું અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ, સૌરવ ગાંગુલી પણ હાજર
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના ઓપનર શિખર ધવન અરૂણ જેટલી સ્ટેડિયમ ફિરોઝશાહ કોટલા મેદાનમાં પહોંચ્યા છે. તસવીર સૌજન્ય - જાગરણ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના ઓપનર શિખર ધવન અરૂણ જેટલી સ્ટેડિયમ ફિરોઝશાહ કોટલા મેદાનમાં પહોંચ્યા છે. અહીં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. એટલા માટે ગૃહમંત્રી અમિત શાહ અહીં પહોંચ્યા હતા. તેમણે આ પળને પોતાના માટે ખૂબ વિશેષ ગણાવતા કહ્યું કે તે તેમના માટે ગર્વની વાત છે.
કાર્યક્રમમાં ડીડીસીએ અધ્યક્ષ રોહન જેટલી અને દિલ્હી ભાજપના અનેક નેતાઓ ઉપરાંત બૉર્ડના ઘણા અધિકારીઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ગાંગુલી તાજેતરમાં બંગાળના રાજ્યપાલને પણ મળ્યા હતા.
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમના માટે આ ગર્વની વાત છે કે ભારતીય ક્રિકેટને ઘણા મોટા ખેલાડીઓ આપનારા સ્ટેડિયમમાં અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી છે. અરૂણ જેટલી સ્પોર્ટ્સમેનશિપ વાળા નેતા હતા. કૉન્ગ્રેસ દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીમાં જેલ પણ ગયા હતા. બાદ દેશના રાજકરણમાં ઘણી મોટી જિમ્મેદારી અરૂણ જેટલીએ ભજવી હતી.
અમિત શાહે આઈપીએલે ભારતીય ક્રિકેટની સ્થિતિ અને દિશા બદલાઈ ગઈ છે. આ અંગે અરૂણ જેટલીએ પોતાનું કાયદીય દિમાગ દોડાવ્યું.