ભારતીય ક્રિકેટ બોર્ડ આ સીઝન ભારતમાં જ યોજવા કટિબદ્ધ છે
IPL 2022
પ્રતીકાત્મક તસવીર
ભારત હાલમાં કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૫મી સીઝનના આડે માંડ બે મહિના બાકી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ સીઝન ભારતમાં જ યોજવા કટિબદ્ધ છે, પણ જો પરિસ્થિતિ વણસી તો વિકલ્પ તરીકે યુએઈ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વિશે પણ વિચારણા કરી રહ્યું છે.
કોરોનાકાળમાં જ્યારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકાની ટૂર કૅન્સલ કરી દીધી હતી ત્યારે ભારતે સિરીઝ રમવા જતાં સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ ખુશ થયું હતું અને ભારતીય બોર્ડનો આભાર માન્યો હતો અને આઇપીએલ યોજવા એણે આમંત્રણ આપ્યું છે.
ભારતી ટીમ હાલમાં સાઉથ આફ્રિકામાં સફળતાપૂર્વક સિરીઝ રમીને પાછી આવી છે.
અહેવાલ પ્રમાણે ભારત અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ વચ્ચે આ આઇપીએલના આયોજન બાબતે ચર્ચા ચાલી રહી છે. સાઉથ આફ્રિકાએ ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે એવા સ્થળે મૅચો યોજશે જેથી ટીમને બહુ પ્રવાસ નહીં કરવો પડે અને હોટેલ અને બીજો ખર્ચ યુએઈની સરખામણીમાં ખૂબ ઓછો હશે.
ભારત ૨૦૦૮માં આઇપીએલની બીજી સીઝન સાઉથ આફ્રિકામાં યોજી ચૂક્યું છે.