ભૂતપૂર્વ ભારતીય હેડ-કોચ રવિ શાસ્ત્રીએ તેને નવેસરથી આપેલી ઍડ્વાઇઝમાં કહ્યું છે
IPL 2022
વિરાટ કોહલી
વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી હજી છથી સાત વર્ષ લંબાવવી હોય તો તેણે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લઈ લેવો જોઈએ, એવી થોડા દિવસ પહેલાં સલાહ આપનાર ભૂતપૂર્વ ભારતીય હેડ-કોચ રવિ શાસ્ત્રીએ તેને નવેસરથી આપેલી ઍડ્વાઇઝમાં કહ્યું છે કે ‘તારે જો કરીઅર લંબાવવી હોય તો આઇપીએલમાંથી બહાર આવી જવું જોઈએ. તું ઘણા સમયથી નૉન-સ્ટૉપ રમ્યો છે અને તમામ ફૉર્મેટની ટીમનું સુકાન પણ સંભાળ્યું છે. ક્યારેક જિંદગીમાં સમતુલા રાખવા પર પણ ધ્યાન આપવું જોઈએ. તારે એક બ્રેક લઈ જ લેવો જોઈએ.’
ઉપરાઉપરી બે મૅચમાં ગોલ્ડન ડક (પહેલા જ બૉલમાં આઉટ)નો શિકાર થયેલો કોહલી મંગળવારે રાજસ્થાન સામે માત્ર ૯ રન બનાવી શક્યો હતો. ૯ મૅચમાં તે ફક્ત ૧૬.૦૦ની સરેરાશે કુલ ૧૨૮ રન બનાવી શક્યો છે. શાસ્ત્રીએ કોહલીને ૨૦૨૨ની આઇપીએલની બહાર આવી જવાની સલાહ આપી હોવાનું મનાય છે.