જલદીથી હું ધમાકેદાર કમબૅક કરીશ: જાડેજા
રવીન્દ્ર જાડેજા
ત્રીજી ટેસ્ટ દરમ્યાન અંગૂઠામાં ઈજા થતાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ચોથી ટેસ્ટમાંથી આઉટ થઈ ગયો છે અને કદાચ ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટમાં તે નહીં રમી શકે. ઇન્જરી છતાં જાડેજા ચોથી ઇનિંગ્સમાં જરૂર પડે તો બૅટિંગ કરવા તૈયાર હતો, પણ અશ્વિન-વિહારીએ એની વેળા નહોતી આવવા દીધી. જાડેજાઅે ઑસ્ટ્રેલિયામાં જ સર્જરી કરાવી લીધી છે અને ત્યાર બાદ એક ફોટો શૅર કરીને એ વિશે માહિતી આપી હતી. જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે ‘થોડા સમય માટે હું મેદાનમાંથી બહાર થઈ ગયો છું. સર્જરી થઈ ગઈ છે, પણ ખૂબ જલદી હું ધમાકેદાર કમબૅક કરીશ.’
વન-ડે સિરીઝમાં પણ માથામાં બૉલ વાગતાં જાડેજા બાકીની વન-ડે અને પ્રથમ ટેસ્ટ નહોતો રમી શક્યો.