વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બોલર કર્ટલી ઍમ્બ્રોસે કહ્યું કે જો જસપ્રીત બુમરાહ ફિટ રહેશે તો તે ટેસ્ટમાં ૪૦૦ વિકેટ લઈ શકે છે.
જસપ્રીત બુમરાહ અને કર્ટલી ઍમ્બ્રોસ
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બોલર કર્ટલી ઍમ્બ્રોસે કહ્યું કે જો જસપ્રીત બુમરાહ ફિટ રહેશે તો તે ટેસ્ટમાં ૪૦૦ વિકેટ લઈ શકે છે. યુટ્યુબ પર આવતા ધ કર્ટલી ઍન્ડ કરિશ્મા નામના શોમાં ઍમ્બ્રોસે કહ્યું કે ‘ભારત પાસે કેટલાક સારા ફાસ્ટ બોલર છે. મને બુમરાહ ગમે છે. મેં જોયેલા અન્ય બોલરો કરતાં તે અલગ છે. ઘણો પ્રભાવક છે. તે લાંબા સમય સુધી ટકી રહે એવી મારી આશા છે. જો તે ફિટ રહ્યો તો ૪૦૦ વિકેટ લઈ શકે છે. તે બૉલને સ્વિંગ કરી શકે છે અને યૉર્કર પણ નાખી શકે છે. તેના ભાથામાં ઘણાં તીર છે.’
બુમરાહની શૉર્ટ બોલિંગ-ઍક્શન વિશે વાત કરતાં ઍમ્બ્રોસે કહ્યું કે ‘ફાસ્ટ બોલર માટે રિધમ ઘણી મહત્ત્વની છે. બુમરાહનો રનઅપ ઘણો ઓછો છે એથી વધુ જોર લગાવવું પડે છે. હું આશા રાખું કે તે ફિટ રહે.’