તળિયાની બે ટીમ વચ્ચેના મુકાબલામાં નવી અજમાયશો જોવા મળી શકે
IPL 2022
રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની
વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર છે. સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે એટલે આજે બની શકે એટલું ગૌરવ પાછું મેળવવા કોઈ કસર બાકી નહીં રાખે. ૧૦ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ ૧૧માંથી ૯ મૅચ હારી જવાને કારણે છેક ૧૦મા નંબર પર છે.
ચેન્નઈની ટીમ ૧૧માંથી ફક્ત ૪ મૅચ જીતવાને કારણે પ્લે-ઑફની દોડની લગભગ બહાર થઈ ગઈ છે. પ્લે-ઑફમાં પહોંચવા બાકીની ત્રણેય લીગ મૅચ જીતીને સ્પર્ધામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહેલી ધોનીની ટીમ આ નવું મિશન આજે મુંબઈ સામે જીતીને શરૂ કરે તો નવાઈ નહીં. ગયા વર્ષની વિજેતા અને આ વખતની નવમા નંબરની આ ટીમ ચેન્નઈ આજે હારી જશે તો સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જશે.