ફિઝિયોથેરપિસ્ટ અને ટીમ-ટ્રેઇનર પણ એ બાબતે હાર્દિક સાથે સંપર્કમાં છે
રોહિત શર્મા
પાંચ વખત આઇપીએલમાં ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમના સુકાની રોહિત શર્માએ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત્યા છતાં પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જવા બદલ ટીમની સામૂહિક નિષ્ફળતાને જવાબદાર ગણાવી એ પછી ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘આઇપીએલમાં હાર્દિકે બોલિંગ ન કરી, પણ હવે કદાચ અઠવાડિયામાં બોલિંગ ફરી શરૂ કરશે. ફિઝિયોથેરપિસ્ટ અને ટીમ-ટ્રેઇનર પણ એ બાબતે હાર્દિક સાથે સંપર્કમાં છે. ખરેખર તો તે ક્યારથી પાછો રન-અપ પર આવશે એ વિશે ડૉક્ટર જ સચોટ જાણકારી આપી શકશે.’
હાર્દિકને ૧૭ ઑક્ટોબરે શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં ઑલરાઉન્ડર તરીકે સમાવવામાં આવ્યો છે.