સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન કાને વિલિયમ્સને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રિષભ પંત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 33મો મુકાબલો આજે સાંજે ૭.૩૦ વાગ્યે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન કાને વિલિયમ્સને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાને ૧૩૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કૅપિટલ્સે ૧૭.૫ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૧૩૯ રન બનાવ્યા હતા અને મેચ જીતી હતી. આ સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમે પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઠમા સ્થાને છે.
135 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રેયસ અય્યરે ઈજા બાદ 47 રન ફટકારીને પુનરાગમન કર્યું હતું અને તેની ટીમ માટે ટોપ સ્કોરર રહ્યો હતો.રિશભ પંતે 35 અને શિખર ધવને 41 રન સાથે શાનદાર ભૂમિકા ભજવી હતી.પહેલા બેટિંગ કરતા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે કુલ 134 રન બનાવ્યા હતા જ્યાં કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો.કેપિટલ્સ તરફથી કાગિસો રબાડાએ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે એનરિચ નોર્ટજે અને અક્ષર પટેલને બે-બે વિકેટ મળી હતી.આ જીત સાથે, દિલ્હી કેપિટલ્સ તેમની નવ મેચમાં 14 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે તેને વધુ બે જીત જોઈએ છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આજે મેચ શરૂ થતાં પહેલાં જ સનરાઈઝર્સ હૈદરાબાદના ટી. નટરાજન કોરોના સંક્રમિત થયો હતો અને મેચ પર સંકટના વાદળ ઘેરાયા હતા. જોકે, જો કે, IPL તરફથી ટ્વીચ કરીને માહિતી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે.