Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વ્યંકટેશ ઐયરે બદલી હતી કલકત્તાની બાજી : મૅક્લમ

વ્યંકટેશ ઐયરે બદલી હતી કલકત્તાની બાજી : મૅક્લમ

17 October, 2021 04:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં રમાયેલા પહેલા તબક્કામાં કલકત્તાની ટીમ સાતમા ક્રમાંકે હતી, પરંતુ યુએઈમાં જતાં જ ટીમનું નસીબ પલટાઈ ગયું હતું

વ્યંકટેશ ઐયર

વ્યંકટેશ ઐયર


કલકત્તાની ટીમના કોચ બ્રેન્ડન મૅક્‍લમના મતે યુવા બૅટર વ્યંકટેશ ઐયરે આઇપીએલના બીજા તબક્કામાં ટીમની પરિસ્થિતિ બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં રમાયેલા પહેલા તબક્કામાં કલકત્તાની ટીમ સાતમા ક્રમાંકે હતી, પરંતુ યુએઈમાં જતાં જ ટીમનું નસીબ પલટાઈ ગયું હતું, જેનું સૌથી મોટું કારણ હતું ઐયરનું ધમાકેદાર બૅટિંગ-પ્રદર્શન. શુક્રવારે ફાઇનલ બાદ મૅક્‍લમે કહ્યું હતું કે ‘ઐયરે સમય જતાં પોતાની શૈલીમાં પરિવર્તન કરીને પડકારનો સામનો કરવો પડશે. ભલે હાલમાં તો પોતાની બૅટિંગ-પદ્ધતિને કારણે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શકતો નથી, પરંતુ મને આશા છે કે તે એ જ વ્યંકટેશ ઐયર બની રહેશે જેને અમે જોયો છે. આ રમતનું તેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. તે ઘણો સમજદાર છે. આ સીઝનમાં થયેલા ફેરબદલ પાછળ તે સૌથી મોટું કારણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK