ભારતમાં રમાયેલા પહેલા તબક્કામાં કલકત્તાની ટીમ સાતમા ક્રમાંકે હતી, પરંતુ યુએઈમાં જતાં જ ટીમનું નસીબ પલટાઈ ગયું હતું
વ્યંકટેશ ઐયર
કલકત્તાની ટીમના કોચ બ્રેન્ડન મૅક્લમના મતે યુવા બૅટર વ્યંકટેશ ઐયરે આઇપીએલના બીજા તબક્કામાં ટીમની પરિસ્થિતિ બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં રમાયેલા પહેલા તબક્કામાં કલકત્તાની ટીમ સાતમા ક્રમાંકે હતી, પરંતુ યુએઈમાં જતાં જ ટીમનું નસીબ પલટાઈ ગયું હતું, જેનું સૌથી મોટું કારણ હતું ઐયરનું ધમાકેદાર બૅટિંગ-પ્રદર્શન. શુક્રવારે ફાઇનલ બાદ મૅક્લમે કહ્યું હતું કે ‘ઐયરે સમય જતાં પોતાની શૈલીમાં પરિવર્તન કરીને પડકારનો સામનો કરવો પડશે. ભલે હાલમાં તો પોતાની બૅટિંગ-પદ્ધતિને કારણે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શકતો નથી, પરંતુ મને આશા છે કે તે એ જ વ્યંકટેશ ઐયર બની રહેશે જેને અમે જોયો છે. આ રમતનું તેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. તે ઘણો સમજદાર છે. આ સીઝનમાં થયેલા ફેરબદલ પાછળ તે સૌથી મોટું કારણ છે.’