ઇન્જરીને લીધે કૅપ્ટન શ્રેયસ ઐયરને ગુમાવનાર દિલ્હી ડેરડેવિલ્સ ટીમ માટે ગઈ કાલે બીજા માઠા સમાચાર
અક્ષર પટેલ
ઇન્જરીને લીધે કૅપ્ટન શ્રેયસ ઐયરને ગુમાવનાર દિલ્હી ડેરડેવિલ્સ ટીમ માટે ગઈ કાલે બીજા માઠા સમાચાર મળ્યા હતા. પ્રથમ મુકાલબાને આડે અઠવાડિયું જ બાકી છે ત્યારે ટીમનો સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. કલકત્તાનો નીતીશ રાણા બાદ અક્ષર બીજો ખેલાડી છે જે કોરોનાગ્રસ્ત થયો છે. દિલ્હી ટીમ મૅનેજમેન્ટે ગઈ કાલે નિવેદનમાં જણાવ્યું કે ‘અક્ષર પટેલનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેણે મુંબઈની હોટેલમાં ૨૮ માર્ચે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે ચેક-ઇન કર્યું હતું. તેની બીજી ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. હાલમાં તે આઇસોલેશનમાં છે અને મેડિકલ ટીમ તેની સાથે ટચમાં છે. અમે તેની જલદી રિકવરીની આશા રાખીએ છીએ.’
અક્ષરે તાજેતરમાં તેની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં ૨૭ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.