Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિતાલી રાજની નિવૃત્તિ પછીના પ્રથમ પ્રવાસમાં હરમનની ટીમ પહોંચી શ્રીલંકા

મિતાલી રાજની નિવૃત્તિ પછીના પ્રથમ પ્રવાસમાં હરમનની ટીમ પહોંચી શ્રીલંકા

20 June, 2022 01:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રવાસમાં ગુરુવાર ૨૩ જૂને શ્રીલંકા સામે પ્રથમ ટી૨૦ રમાશે

હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમ ગઈ કાલે લગભગ ૨૦ દિવસના શ્રીલંકાના પ્રવાસે ગઈ ત્યારે ખૂબ ખુશખુશાલ હતી. ૨૩મીએ પ્રથમ મૅચ રમાશે.

હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમ ગઈ કાલે લગભગ ૨૦ દિવસના શ્રીલંકાના પ્રવાસે ગઈ ત્યારે ખૂબ ખુશખુશાલ હતી. ૨૩મીએ પ્રથમ મૅચ રમાશે.


મહિલા ક્રિકેટની લેજન્ડ મિતાલી રાજે નિવૃત્તિ જાહેર કરી એ પછીની ભારતીય મહિલા ટીમની પ્રથમ ટૂર ગઈ કાલે શરૂ થઈ હતી, જેમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ કોલંબો પહોંચી ગઈ હતી. આ પ્રવાસમાં ગુરુવાર ૨૩ જૂને શ્રીલંકા સામે પ્રથમ ટી૨૦ રમાશે. કુલ ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે રમાશે. મિતાલી ત્રણ વર્ષથી ટી૨૦ ટીમમાં નહોતી, પરંતુ વન-ડેમાં તે કારકિર્દીના અંત સુધી રમતી રહી હતી. વર્તમાન ટી૨૦ ટીમમાં સૌથી સિનિયર બોલર ઝુલન ગોસ્વામી નથી, પરંતુ મુંબઈની જેમાઇમા ગોસ્વામીએ ટીમમાં કમબૅક કર્યું છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારતીય ટીમનું સ્વાગત કર્યા બાદ પોતાના ટ્વિટર-હૅન્ડલ પર કૅપ્ટન હરમનપ્રીત તેમ જ સ્મૃતિ મંધાના અને બીજી કેટલાક ભારતીય ખેલાડીઓના ફોટો શૅર કર્યા હતા. પેસ બોલર ઝુલન ઉપરાંત લેફ્ટ-આર્મ સ્પિનર એકતા બિશ્ત અને ઑલરાઉન્ડર સ્નેહ રાણા પણ ટી૨૦ ટીમમાં નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK