Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅરિબિયનો પર આજે ભારતનું વર્ચસ વધશે કે પછી બ્રેક લાગશે?

કૅરિબિયનો પર આજે ભારતનું વર્ચસ વધશે કે પછી બ્રેક લાગશે?

01 August, 2022 10:32 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચનો સમય રાત્રે ૮ વાગ્યાથી

રોહિત શર્મા IND vs WI

રોહિત શર્મા


વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લીધા પછી ટી૨૦ શ્રેણીની પહેલી મૅચમાં વિજય મેળવીને ભારતે વાઇટ-બૉલ ક્રિકેટમાં કૅરિબિયનો સામે લાગલગાટ ૧૨મો વિજય મેળવીને પ્રભુત્વ જમાવ્યું એ પછી હવે આજે પાંચ મૅચવાળી ટી૨૦ શ્રેણીના બીજા મુકાબલામાં પણ વિજય મેળવીને ભારતીય ટીમ વર્ચસ વધારવા કોઈ કસર નહીં છોડે. રોહિત શર્માની ટીમ આજે જીતશે તો ૨-૦થી સરસાઈ મેળવશે, પરંતુ સેન્ટ કિટ્સની આજની બીજી મૅચ જીતીને નિકોલસ પૂરનની ટીમ બરાબરીમાં આવે તો નવાઈ નહીં.

શુક્રવારે ભારતને ૬૮ રનથી જિતાડવામાં ખુદ કૅપ્ટન રોહિત (૬૪ રન) અને દિનેશ કાર્તિક (અણનમ ૪૧) તેમ જ બોલર્સ જેમાં ખાસ કરીને અર્શદીપ સિંહ (૨૪માં બે), અિશ્ર્વન (બાવીસમાં બે) અને બિશ્નોઈ (૨૬માં બે)ના મુખ્ય યોગદાનો હતા. ભુવી અને જાડેજાને અેક-અેક વિકેટ મળી હતી, પરંતુ હાર્દિક વિકેટ નહોતો લઈ શક્યો. તે બૅટિંગમાં પણ ફક્ત ૧ રન બનાવતાં ફ્લૉપ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2022 10:32 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK