મોહમ્મદ શમી (Mohammed Shami) ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
મોહમ્મદ શમી
બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મોહમ્મદ શમી (Mohammed Shami) ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હવે ઉમરાન મલિકને રિપ્લેસમેન્ટ તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઉમરાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ઉમરાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી.
બીજી તરફ હાથની ઈજાને કારણે શમી વનડે શ્રેણી રમી શકશે નહીં. વાસ્તવમાં, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થવાની છે. જણાવી દઈએ કે શમીને ટ્રેનિંગ સેશન દરમિયાન હાથ પર ઈજા થઈ હતી.શમીને ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી પ્રેક્ટિસ ફરી શરૂ કર્યા બાદ હાથની ઈજાથી પીડિત મોહમ્મદ શમીને NCAમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને તેણે 1 ડિસેમ્બરે ટીમ સાથે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો નથી.
ADVERTISEMENT
રોહિત શર્મા (C), કેએલ રાહુલ (VC), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (WK), ઈશાન કિશન (WK), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મો. સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક